વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મોટા દહીંસરા ગામે તળાવમાં પડી જતાં યુવતીનું મોત


SHARE











મોરબીના મોટા દહીંસરા ગામે તળાવમાં પડી જતાં યુવતીનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહિંસરા ગામે ગોજારો બનાવ બન્યો હતો જેમાં યુવતી કામ સબબ તળાવ નજીક ગઈ હતી અને ત્યાં છાણ વાળું તગારૂ (બકડીયુ) ધોવા માટે જતા પગ લપસી જવાથી તળાવના પાણીમાં પડી ગઈ હતી અને તરતા ન આવડતું હોવાથી ડૂબી જવાથી યુવતીનું મોત નીપજયુ હોવાનો બનાવ સામે આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતી માયાબેન દિનેશભાઈ મૈયડ નામની ૨૨ વર્ષીય યુવતી ગામના તળાવના પાણીમાં ડૂબી જતા તેણીનું મોત નીપજ્યું હતું જેના પગલે તેણીના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક માયાબેન મોટા દહિંસરા ગામે આવેલા પાણીના તળાવ નજીક કામ સબબ ગયા હતા અને ત્યાં છાણ વાળું તગારૂ ધોવા જતા સમયે પગ લપસી જતા અકસ્માતે તેઓ તળાવના પાણીમાં ડૂબી ગયા હતા અને માયાબેનને તરતા ન આવડતું હોવાના લીધે ડૂબી જવાથી માયાબેન દિનેશભાઈ મૈયડ નામની ૨૨ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું જેના પગલે નાના એવા મોટા દહીંસરા ગામે ગમગીની વ્યાપી ગઈ હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનિલભાઈ કુશ્વાહ (ઉંમર ૩૦) રહે.નીલકંઠ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળાને ટીંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થઈ હતી જેથી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જે અંગે હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતનો બીજો બનાવ પણ મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીક બન્યો હતો જ્યાં એચપી પેટ્રોલ પંપ પાસેથી બાઈક લઈને જતા સંજયભાઈ ભૂદરભાઈ સુરાણી (ઉંમર વર્ષ ૨૫) રહે ખીરઈ (પંચવટી) તાલુકો માળીયા જી.મોરબીવાળાને ઇજા પહોંચતા તેને પણ ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો જે અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરાય છે.






Latest News