મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વીમો આપવાની ના પાડતી કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે વીમો ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં વીમો આપવાની ના પાડતી કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે વીમો ચૂકવવા આદેશ

મોરબીની મહિલાએ હોમ ફાયનાન્સ કંપનીમાંથી મકાનની લોન લીધા બાદ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ વીમા કંપનીએ ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી કરીને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને ૩,૫૯,૯૮૬ રૂપિયા આઠ ટકા વ્યાજ સાથે તેમજ ખર્ચના દશ હજાર ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે, મોરબીના વતની દિલીપભાઇ પ્રભુભાઇ રાવલના પુત્ર વધુ ચાર્મીબેને હોમ ફાઇન્સ કંપનીમાંથી મકાનની લોન લીધેલ અને તેમનુ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ કંપની સામે વીમા અંગેની માંગણી કરી હતી અને વીમા કંપનીએ ચાર્મીબેનને ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી કરીને દિલીપભાઇએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને ૩,૫૯,૯૮૬ આઠ ટકા ના વ્યાજ સાથે અને ૧૦૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે.





Latest News