ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન


SHARE











મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ આજની તારીખે પણ રાજકોટ જિલ્લામાં છે જેથી કરીને શિક્ષકોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનો રાજ્યના પાંચાયત વિભાગના મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા (brijesh merja) એ તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા માટે તેના અધિકારીઓને સૂચના આપી હતી જેથી આ વર્ષો જૂનો પ્રશ્ન હવે નજીકના સમયમાં જ ઉકેલાઈ જાય તેવી શક્યતા છે

મોરબી - માળીયા (મી.) વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓને શ્રમ, રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે તેઓને રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીલાલ વી. સરડવા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ ગોહેલ પહોચ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લામાથી વર્ષ ૨૦૧૫ થી મોરબી જિલ્લો અલગ થઈ ગયો છે જો કે, આજદિન સુધી મોરબી જિલ્લાના શિક્ષકોના જી.પી.એફ. ખાતા રાજકોટથી મોરબી ટ્રાન્સફર કરવામાં આવેલ નથી જેથી શિક્ષકોને હેરના થવું પડે છે જે અંગેની રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરી હતી જેથી તેઓએ તેમના અધિકારીને ત્વરિત આ કામ કરવા માટે સચિવને બોલાવી સૂચના આપી દીધી છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ  રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં તબદીલ થવાનું કામ ઝડપથી થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News