મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઊભા રહેવાની ના કહેતા મારામારી: બંને પક્ષેથી પાંચને ઇજા


SHARE











મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઊભા રહેવાની ના કહેતા મારામારી: બંને પક્ષેથી પાંચને ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતા શખ્સોને ત્યાં ઉભા ન રહેવા માટે કહ્યું હતું જે બાબતનો રોષ રાખીને પાંચથી સાત જેટલા શખ્સોએ તેના ઘર પાસે આવીને ઈંટ પથ્થરના ઘા કરીને વૃદ્ધ, તેની પત્ની અને દીકરાને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સમાપક્ષેથી પણ બે વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને પણ સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોહનભાઈ સોલંકી (૭૦), કેશિબેન દિલીપભાઈ સોલંકી (૬૫) અને હર્ષદભાઈ દિલીપભાઈ સોલંકી (૩૬) તેમજ મયુર લક્ષ્મણ આંબલીયા (૨૧) અને નિલેષ લક્ષ્મણ આંબલીયા (૧૮) ને ઇજા થયેલ હતી જેથી તે તમામને સારવાર માટે લઈને ગયા હતા ત્યારે મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હર્ષદભાઈ અને દિલીપભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં ઈજા પામેલા હર્ષદભાઈ દિલીપભાઈ સોલંકી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હકેશ બીજલભાઇ આંબલીયા અને મનીષ રવજીભાઈ આંબલીયા સહિતના શખ્સો તેના ઘરની સામે ઊભા રહેતા હોય તેના ઘરમાં બહેન-દીકરીઓ હોય ઘર પાસે ઉભા ન રહેવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચથી સાત શખ્સો દ્વારા તેના ઘર પાસે આવીને ઈંટ માર મારવામાં આવ્યો હતો જેથી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News