Morbi Today
માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
SHARE
માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતા સોનગઢ ગામે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા, કે.સી. જાડેજા, હર્ષદભાઈ પટેલ, રાજુભાઈ ડાંગર તથા નાનીબરારના સમીરભાઈ ડાંગર સહિતની તેઓની ટિમ દ્વારા તન,મન અને ધનથી સેવા આપશે આ કેમ્પ તારીખ ૨૮-૯-૨૦૨૧ ને મંગળવાર થાય છે ત્યારે માતાના મઢ જતાં પદયાત્રીઓએ તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે અને આ કેમ્પમાં જમવા, ચા પાણી નાસ્તો, આરામ, રાત્રી રોકાણ તથા મેડીકલ સુવિધા સહિતની જરૂરી તમામ પ્રકારની સેવા ફ્રીમાં આપવા માં આવશે.









