મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો


SHARE







ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો

ટંકારામાં મહોરમના તહેવાર નિમિત્તે તાજીયાના ઝુલુસના મુખ્ય માર્ગ ઉપર મુમના શેરીમાં ત્રણ ચાર દિવસથી ગાય બીમાર હાલતમાં હતી અને તેના પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી. જેની જાણ થતાં સામાજિક કાર્યકર અને ઉપસરપંચ પ્રતિનિધી તેમજ જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા ત્યાં આવ્યા હતા અને તાત્કાલિક ૧૯૬૨ ઇમરજન્સી "કરુણા એનિમલ કેર"ને જાણ કરી હતી અને પાંજરાપોળના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી, પપ્પુભાઈ, અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી બીમાર ગાયને બેઠી કરીને પ્રાથમિક સારવાર આપી હતી. "ફ્રી એનિમલ કેર" દ્વારા બિમાર ગાયને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. આ તકે ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રોની કામગીરીને બિરદાવી હતી






Latest News