મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી


SHARE













વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં એક લાખથી વધુની માલ મત્તાની ચોરી થતાં પોલીસ દોડી ગઈ હતી.
ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ દાગીના, એલ.ઈ.ડી. મળી એક લાખથી વધુની માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં, ત્યારે એક સાથે ત્રણ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સહિતની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે

કોઈ પણ વિસ્તારમાથી નાની મોટી ચોરી માટે કોઈ ભોગ બનેલા વ્યક્તિ આવે તો તુર્તજ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કામે લગતી નથી અને પહેલા અરજી લીધા બાદ જો આરોપી પકડાઈ તો ફરિયાદ લેવામાં આવે તેવું ભૂતકાળમાં ઘાઈન વખત બન્યું છે ત્યારે પોલીસે દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને છેલ્લા દિવસોથી જે ચોરીના બનાવો વધી રહ્યા છે તેને રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે






Latest News