વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE











મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી પાલિકાના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગર પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામા આવે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો  છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે ત્યારે પણ તે લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. અને સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે તો પણ કામ કરવામાં આવતું નથી મોરબીના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની સમસ્યા છે. અને ગટરની કુંડી ખુલ્લી છે તો પણ તેને રિપેર કરવામાં આવી રહી નથી અને આ ગટરમાં કચરા જવાથી લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાઈ જાય છે અને તે વિસ્તારમાં રોગચાળાનો ભય રહે છે આટલું જ નહીં નાના બાળકો કુંડીમાં પડી જાય અને કોઈ બનાવ બને તેવી પણ શક્યતા છે તો પણ પાલિકાના હાલના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને રાખીને કોઈ કામ કરવામાં આવતું નથી તે હક્કિત છે






Latest News