વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !


SHARE











મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !

મોરબીમાં સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં છેલ્લા ૬૦ વર્ષથી રહેતા ૩૯ સામાન્ય પરિવારોને હાલમાં ઘર ખાલી કરવાની અચાનક નોટિસ આપવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોએ ભાજપના ધારાસભ્ય અને પાલિકાના માજી સભ્યોને સાથે રાખીને કલેક્ટરને આ મુદે રજૂઆત કરી હતી અને જરૂરી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા

મોરબીમાં સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિર પાસે આજ કાલથી નહીં પરંતુ છેલ્લા ૬૦ વર્ષથી રહેલા ૩૯ પરિવારોને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે છે અને લેન્ડગ્રેબીગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી કરીને જે પરિવારોને નોટિસ આપવામાં આવી છે જે પરિવારના લોકોએ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમે પાલિકાના માજી સભ્ય ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા, ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઇ સીરોહિયા તેમજ ભાજપના આગેવાન જયોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને તે જમીનને લગતા જરૂરી આધાર પુરાવાઓને પણ સ્થાનિક લોકો દ્વારા અધિકારી સમક્ષ મૂકવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૬૩ અને ૧૯૭૩ માં સનદથી પ્લોટ આપવામાં આવ્યા છે જેમાં કુલ 39 પ્લોટમાંથી ૨૪ માં મકાન બનેલ છે અને ૧૫ પ્લોટ હજુ પણ ખુલ્લા જ છે ત્યારે સ્થાનિક લોકોને ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે






Latest News