મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ૫૦૦ લાખના ખર્ચે ત્રણ રોડ બનશે


SHARE











વાંકાનેર તાલુકામાં ૫૦૦ લાખના ખર્ચે ત્રણ રોડ બનશે

મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકાનાં જુદાજુદા વિસ્તારના ત્રણ રોડને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને મંજૂર કરવામાં આવેલ છે અને ચોમાસા પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે તેના વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના વાંકાનેર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ વિવિધ ત્રણ રોડના કામની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૮૦ લાખના ખર્ચે ઘીયાવડથી ખીજડીયા એપ્રોચ રોડ, ૨૫૦ લાખના ખર્ચે માટેલ જામસર વર્ડુસર રોડ અને ૧૭૦ લાખના ખર્ચે વીઠલપર એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવેલ છે અને તેની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેની હવે સ્થાનિક અધિકારી દ્વારા આગળની કામગીરી કરવામાં આવશે






Latest News