મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી દુકાનમાં વેપારીએ અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના રંગપર પાસે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી દુકાનમાં વેપારીએ અંતિમ પગલું ભર્યું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે યોગી કોમ્પલેક્ષની દુકાનમાં વેપારીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં રહેતો હતો અને દરમિયાન તેને અંતિમ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ હરેશભાઈ લોદરીયા જાતે પટેલ (૨૫)એ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલી યોગી કોમ્પલેક્ષની દુકાન નંબર-૧૧ માં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને લીલાધરભાઇ રેવાભાઇ ચીખલીયા જાતે પટેલ (૬૨) રહે. શિવમ સોસાયટી પંચાસર રોડ વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, મૃતક યુવાનનો છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધો બરાબર ચાલતો ન હતો અને ઘણા સમયથી તે ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે જેની અંગેની નોંધ કરી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે






Latest News