મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ

મોરબી નજીકના ગાળા ગામની પંચાયતની બોડી તેમજ ગામના પટેલ સમાજના લોકોની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે અને ખોટી તેમજ મનઘડત પાયા વિહોણી ફરિયાદ ગામના અનુ. જાતિના લોકો કરી રહ્યા છે જેથી કરીને ગામના લોકો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને યોગ્ય તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના ગાળા ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ગામના અનુ. જાતીના લોકો દ્વારા ગ્રામ પંચાયત બોડી અને ગામના લોકોની સામે ખોટી ફરિયાદ કરીને હેરાન કરવામાં આવે છે અને ખોટી એટ્રોસીટી ફરિયાદની ધમકી આપવામાં આવે છે તેમજ ગાળા ગામના રસ્તા પર દબાણ કરેલ હતા તેનું જીલ્લા પંચાયત કચેરી દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું છે અને દબાણ દુર કરવામાં આવ્યા છે તો પણ ગામના જીતીય રાહુલ કેશવજીએ કલેકટર કચેરીમાં તા. ૧૩ જુલાઈના રોજ ગાળા ગામના નાગરિકો પર અસ્પૃશ્યતા અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવાની પાયાવિહોણી અરજી કરેલ છે વધુમાં કહ્યું હતુ કે, ગામના લોકોએ કોઈ પ્રકારનું ગેરવર્તન કર્યું નથી અને કોઇપણ સામાજિક કાર્યમાં ગ્રામજનો સહકાર આપે છે અને તાજેતરમાં અનુ.જાતિની ૧૧ દીકરીના સમૂહ લગ્નનું આયોજન રાહુલ જીતીયાએ કર્યું હતું જેમાં ગામના સરપંચ અને ઉદ્યોગપતિઓએ ફાળો આપ્યો હતો અને ગ્રામ પંચાયતના ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્મશાન પર સંરક્ષણ દીવાલ અંગેની ગ્રાન્ટ બે લાખ આપવામાં આવી છે તેમજ પેવર બ્લોકની ગ્રાન્ટ અઢી લાખ આપવામાં આવી છે તે સહિતના કામ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈપણ તથ્ય વગરની કે પછી પાયા વિહોણી ફરિયાદ ધ્યાને ના લેવા અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવા હાલમાં ગામના લોકોએ રજૂઆત કરી છે






Latest News