મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ

મોરબી નજીકના ગાળા ગામની પંચાયતની બોડી તેમજ ગામના પટેલ સમાજના લોકોની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે અને ખોટી તેમજ મનઘડત પાયા વિહોણી ફરિયાદ ગામના અનુ. જાતિના લોકો કરી રહ્યા છે જેથી કરીને ગામના લોકો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને યોગ્ય તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના ગાળા ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ગામના અનુ. જાતીના લોકો દ્વારા ગ્રામ પંચાયત બોડી અને ગામના લોકોની સામે ખોટી ફરિયાદ કરીને હેરાન કરવામાં આવે છે અને ખોટી એટ્રોસીટી ફરિયાદની ધમકી આપવામાં આવે છે તેમજ ગાળા ગામના રસ્તા પર દબાણ કરેલ હતા તેનું જીલ્લા પંચાયત કચેરી દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું છે અને દબાણ દુર કરવામાં આવ્યા છે તો પણ ગામના જીતીય રાહુલ કેશવજીએ કલેકટર કચેરીમાં તા. ૧૩ જુલાઈના રોજ ગાળા ગામના નાગરિકો પર અસ્પૃશ્યતા અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવાની પાયાવિહોણી અરજી કરેલ છે વધુમાં કહ્યું હતુ કે, ગામના લોકોએ કોઈ પ્રકારનું ગેરવર્તન કર્યું નથી અને કોઇપણ સામાજિક કાર્યમાં ગ્રામજનો સહકાર આપે છે અને તાજેતરમાં અનુ.જાતિની ૧૧ દીકરીના સમૂહ લગ્નનું આયોજન રાહુલ જીતીયાએ કર્યું હતું જેમાં ગામના સરપંચ અને ઉદ્યોગપતિઓએ ફાળો આપ્યો હતો અને ગ્રામ પંચાયતના ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્મશાન પર સંરક્ષણ દીવાલ અંગેની ગ્રાન્ટ બે લાખ આપવામાં આવી છે તેમજ પેવર બ્લોકની ગ્રાન્ટ અઢી લાખ આપવામાં આવી છે તે સહિતના કામ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈપણ તથ્ય વગરની કે પછી પાયા વિહોણી ફરિયાદ ધ્યાને ના લેવા અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવા હાલમાં ગામના લોકોએ રજૂઆત કરી છે






Latest News