હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક રિવર્સ લેતા સમયે યુવાનને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક ટ્રક રિવર્સ લેતા સમયે યુવાનને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાં વાહન રિવર્સમાં લેવડાવતા સમયે વાહન નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામે રહેતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ (૩૮) નું આવળ સર્વિસ સ્ટેશન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ છે અને ત્યાં વાહનને રિવર્સમાં લેવડાવવા માટેની કામગીરી થોડા દિવસ પહેલા કરતાં હતા ત્યારે વાહનમાં દબાઈ જવાથી દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના પિતા ચંદ્રસિંહ જયમલસિંહ રાઠોડ જાતે-કારડિયા રાજપુત (૬૪) રહે.  ટિંબડી વાળાએ ટાટા કંપનીના ટ્રક નં- આરજે ૧૯ જીએફ ૮૧૬૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ એસ.એન. સગારકાએ આ ગુનામાં આરોપી મુસેભાઈ હાજીભાઇ ખાં જાતે મુસ્લિમ (૪૦) ધંધો ડ્રાઇવિંગ રહે. જેસિયાત કી ઢાણી બાણ પાસ પોસ્ટ તાલુકો પાસપદરા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

મારામારીના બનાવમાં ઈજા
મોરબીના માધાપરા વિસ્તારની શેરી નંબર ૨૨ માં રહેતા રાજેશ સવજીભાઇ પીપળીયા નામના ૨૧ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે નિવેદનમાં જણાવ્યા મુજબ તે વીસીપરા વિસ્તારમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા લોકોના ટોળા દ્વારા તેને અટકાવીને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા થઈ હતી.જ્યારે મારામારીના બીજા બનાવમાં મોરબી તાલુકાના લીલાપર ગામે દિનેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા જીગ્નેશ વસ્તાભાઈ બામણીયા જાતે ઠાકોર નામના ૨૪ વર્ષના યુવાનને વાડીએ થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના એન.જ.ખડિયા દ્વારા બનાવની તપાસ ચલાવવામાં આવી હતી.તેમજ મારામારીનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના જુના સાદુરકા ગામે બન્યો હતો જેમાં મહેશ દેવશીભાઈ હળવદિયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News