મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની આગળના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ ની સામેથી પસાર થતી રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી ગયું હતું જેથી કરીને રીક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતકના ભાઈએ રિક્ષાચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અબ્દુલગફાર ઈબ્રાહીમ પઠાણ (૩૬) નામના વ્યક્તિએ હાલમાં ઓટો રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૧૮૪ ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેના મોટા ગુલામહુસેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ ૪૦) બસીરભાઇની રીક્ષામાં બેસીને પંચાસર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની સામેના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું જેથી કરીને રિક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે ગુલામહુસેનભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં પોલીસે રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધ ગુમ

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કન્યાશાળાની સામેના ભાગમાં રહેતા જીગ્નેશભાઈ વલ્લભભાઈ સંતોકી (ઉંમર ૪૦) ના પિતા વલ્લભભાઈ ગંગારામભાઈ સંતોકી (ઉંમર ૬૦) ગત તા ૧૬/૬ ના રોજ પોતાના ઘરેથી નાસ્તો કરીને દાઢી કરાવવા માટે જાઉં છું એવું કહીને નિકડ્યા હતા જોકે તેઓ આજ દિવસ સુધી પરત નહીં આવતાં હાલમાં જીગ્નેશભાઈએ પોતાના પિતા ગુમ થયા હોવા અંગેની વાંકાનેર સીટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News