મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું


SHARE











મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું

મોરબીના રંગપર ગામના યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો અને તેની કોઈ જગ્યાએથી તેનો પત્તો નહીં લગતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે નવસારી જિલ્લાના ખેર ગામેથી મળી આવ્યો છે અને યુવાન પુખ્ત ન હોવાથી તેના લગ્ન થી શકે તેમ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામમાં રહેતા દિનેશભાઈ સાગઠીયાનો (૧૯) વર્ષનો દીકરો રોનક ગત તા. ૨૨/૬ ના રોજથી પોતાના ઘરેથી ગુમ થયો હતો અને તેને શોધવા માટે કવાયત કરતા હતા જોકે તેને કોઈ જગ્યાએથી ભાળ ન મળતા આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા પણ યુવાનને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ યુવાને હાલમાં નવસારી જિલ્લાના ખેરગામેથી મળી આવ્યો છે વધુમાં આ બનાવવાની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો જો કે, તે પુખ્ત ન હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતું

મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લક્ષ્મીનગર ગામે રહેતા ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા (૩૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ ભરડીયામાં કામગીરી દરમિયાન ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને કામ કરતાં મુકેશભાઈ નારણભાઈ મહેતા (૩૧) નામના યુવાનને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News