મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો


SHARE











હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો

હળવદમાં આવેલ હરિ દર્શન હોટલ પાછળથી નીકળતી ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક મહિલાના દીકરાએ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ શિવાલિકા સોસાયટીમાં રહેતા લલીતાબેન રમણીકભાઈ કાસોડીયા જાતે પટેલ (૫૫) ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ હળવદમાં આવેલ હરિ દર્શન હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ પાણીમાંથી તેના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના દીકરા વિપુલભાઈ રમણીકભાઈ કાસોડીયા (૩૫) રહે શિવાલિકા સોસાયટી વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News