મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત


SHARE











હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મિયાણી ગામે રહેતા પ્રેમી યુગલે ટિકર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાણીમાંથી પ્રેમી યુગલની બોડી મળી આવતા તેને હળવદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતી સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા જાતે કોળી (૧૮) અને મિયાણી ગામે રહેતા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા જાતે કોળી (૨૨) વચ્ચે પ્રેમ સબંધ હતો અને આ પ્રેમી યુગલ રાત્રી સમયે ગુમ થઈ ગયું હતું અને તે બંનેને તેના પરિવારજનો શોધી રહ્યા હતા તેવામાં મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી યુવકનો મોબાઇલ, ચપ્પલ અને બાઈક મળી આવ્યું હતું જેથી કરીને પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને કેનાલમાંથી તે બંનેની બોડી મળી આવી હતી જેથી કરીને સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા અને અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયાની ડેડબોડીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News