માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ


SHARE











મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ

મોરબીથી નવલખી સુધીનો નવો નેશનલ હાઇવે બનાવવા માટે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જુદાજુદા ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં મોરબીના ખેવરિયા, ખાખરાળા અને વનાળિયા તેમજ માળીયાના મોટા દહીંસરા ગામના ખેડૂતોએ મોરબીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને નવા નેશનલ હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાનોની ચીમકી ઉચ્ચારી છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું એક નવલખી હાઇવે છે તો પછી આ વધારાના હાઈવેની શું જરૂર છે આ નવા હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે જેથી કરીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર ખેડૂતોના હામી હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ખેતીની જમીન ઉપર તરાપ મારીને ખેડૂતોની રોજગારી ખતમ કરી રહી છે ત્યારે હાઇવે માટે ખેડૂતોની જમીન છીનવાઈ જશે તો વાવેતર ક્યાં કરશે ? તે સવાલ ઊભો થશે જેથી ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News