મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ


SHARE







મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ

મોરબીથી નવલખી સુધીનો નવો નેશનલ હાઇવે બનાવવા માટે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જુદાજુદા ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં મોરબીના ખેવરિયા, ખાખરાળા અને વનાળિયા તેમજ માળીયાના મોટા દહીંસરા ગામના ખેડૂતોએ મોરબીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને નવા નેશનલ હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાનોની ચીમકી ઉચ્ચારી છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું એક નવલખી હાઇવે છે તો પછી આ વધારાના હાઈવેની શું જરૂર છે આ નવા હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે જેથી કરીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર ખેડૂતોના હામી હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ખેતીની જમીન ઉપર તરાપ મારીને ખેડૂતોની રોજગારી ખતમ કરી રહી છે ત્યારે હાઇવે માટે ખેડૂતોની જમીન છીનવાઈ જશે તો વાવેતર ક્યાં કરશે ? તે સવાલ ઊભો થશે જેથી ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News