મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની દશ શાળાઓમાં દોઢ લાખના ખર્ચે ૧૬૦ ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ


SHARE













મોરબીની દશ શાળાઓમાં દોઢ લાખના ખર્ચે ૧૬૦ ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ

આજના સમયમાં ઘણા બધા લોકો ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન અર્પણ કરી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને, સમાજને મદદરૂપ થતા હોય છે અને જીવનમાં પુણ્યનું ભાથું ભેગું કરતા હોય છે એ અન્વયે પૂર્ણિમાબેન કાપડિયા કે જેઓ હાલ અંકલેશ્વર મુકામે રહે છે અને રસિલાબેન અમૃતલાલ વડસોલા કે જેઓ વાપી રહે છે. બંને બહેનો યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ ચલાવે છે તેઓએ મોરબીની શાળાઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ, જુદાં જુદાં કાર્યક્રમોમાં બાળાઓ જે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચણીયા ચોલી પહેરીને સુંદર અભિનય ગીતો રજૂ કરે છે એ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી નિહાળીને એનાથી ખુબજ પ્રભાવિત થઇને બંને બહેનોએ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંપર્ક કર્યો હતો અને હાલમાં બાળાઓને તેઓએ ૧૬૦ ચણિયા ચોલી ભેટ આપેલ છે

મોરબીની માધાપરવાડી કન્યા શાળા, રાજપર તાલુકા શાળાભરતનગર પ્રા. શાળાલખધીરનગર પ્રા.શાળાકપોરીવાડી પ્રા.શાળા, કડીયાણા તાલુકા શાળા, મેરૂપર તાલુકા શાળા, બિલિયા પ્રા.શાળામેઘાણીવાડી પ્રા.શાળા, રંગપર તાલુકા શાળા એમ કુલ દશ શાળાઓમાં સોળ સોળ નંગ આશરે એક હજાર રૂપિયાની કિંમતની કુલ ૧.૬૦ લાખનો ખર્ચ કરીને ચણીયા ચોલી અર્પણ કરેલ છે હાલ પાંચ શાળામાં પહોંચાડેલ છે અને બાકીની શાળાઓમાં ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે અને આજુબાજુની શાળાઓમાં જરૂરિયાત હોય તો આ ચણીયા ચોલીનો ઉપયોગ કરવા માટે પણ આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે, છેક અંકલેશ્વર રહેતા હોવા છતાં મોરબીની બાળાઓ માટે દાન અર્પણ કરવા બદલ તમામ શાળાના આચાર્ય દ્વારા આભાર પત્ર આપીને દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ છે આ બહેનો દ્વારા બિલકુલ ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થાઅભ્યાસની ફી ની વ્યવસ્થાગરીબ પરિવાર કે ગરીબ સિંગલ પેરેન્ટ વાળી દીકરીઓ માટે કન્યાદાન કીટ અર્પણ કરવામાં આવે છે જેમાં પાંચ સાડી,પાંચ ડ્રેસ મટિરિયલ્સએક ચણીયા ચોલી, ચાંદીના સાંકળા, બેગ એમ આશરે પંદર હજાર રૂપિયાની કિંમતની કિટ હોય છે અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને કન્યાદાનઆંખના ઓપરેશન માટે આર્થિક મદદમેન્ટલી ચેલેન્જ બાળકો માટે ભાવતા ભોજન આપવા વગેરે પ્રવૃત્તિઓ ઉપલબ્ધ નાણાંકીય ભંડોળ મુજબ યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ દ્વારા કરવામાં આવે છે






Latest News