મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની દશ શાળાઓમાં દોઢ લાખના ખર્ચે ૧૬૦ ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ


SHARE











મોરબીની દશ શાળાઓમાં દોઢ લાખના ખર્ચે ૧૬૦ ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ

આજના સમયમાં ઘણા બધા લોકો ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન અર્પણ કરી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને, સમાજને મદદરૂપ થતા હોય છે અને જીવનમાં પુણ્યનું ભાથું ભેગું કરતા હોય છે એ અન્વયે પૂર્ણિમાબેન કાપડિયા કે જેઓ હાલ અંકલેશ્વર મુકામે રહે છે અને રસિલાબેન અમૃતલાલ વડસોલા કે જેઓ વાપી રહે છે. બંને બહેનો યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ ચલાવે છે તેઓએ મોરબીની શાળાઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ, જુદાં જુદાં કાર્યક્રમોમાં બાળાઓ જે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચણીયા ચોલી પહેરીને સુંદર અભિનય ગીતો રજૂ કરે છે એ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી નિહાળીને એનાથી ખુબજ પ્રભાવિત થઇને બંને બહેનોએ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંપર્ક કર્યો હતો અને હાલમાં બાળાઓને તેઓએ ૧૬૦ ચણિયા ચોલી ભેટ આપેલ છે

મોરબીની માધાપરવાડી કન્યા શાળા, રાજપર તાલુકા શાળાભરતનગર પ્રા. શાળાલખધીરનગર પ્રા.શાળાકપોરીવાડી પ્રા.શાળા, કડીયાણા તાલુકા શાળા, મેરૂપર તાલુકા શાળા, બિલિયા પ્રા.શાળામેઘાણીવાડી પ્રા.શાળા, રંગપર તાલુકા શાળા એમ કુલ દશ શાળાઓમાં સોળ સોળ નંગ આશરે એક હજાર રૂપિયાની કિંમતની કુલ ૧.૬૦ લાખનો ખર્ચ કરીને ચણીયા ચોલી અર્પણ કરેલ છે હાલ પાંચ શાળામાં પહોંચાડેલ છે અને બાકીની શાળાઓમાં ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે અને આજુબાજુની શાળાઓમાં જરૂરિયાત હોય તો આ ચણીયા ચોલીનો ઉપયોગ કરવા માટે પણ આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે, છેક અંકલેશ્વર રહેતા હોવા છતાં મોરબીની બાળાઓ માટે દાન અર્પણ કરવા બદલ તમામ શાળાના આચાર્ય દ્વારા આભાર પત્ર આપીને દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ છે આ બહેનો દ્વારા બિલકુલ ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થાઅભ્યાસની ફી ની વ્યવસ્થાગરીબ પરિવાર કે ગરીબ સિંગલ પેરેન્ટ વાળી દીકરીઓ માટે કન્યાદાન કીટ અર્પણ કરવામાં આવે છે જેમાં પાંચ સાડી,પાંચ ડ્રેસ મટિરિયલ્સએક ચણીયા ચોલી, ચાંદીના સાંકળા, બેગ એમ આશરે પંદર હજાર રૂપિયાની કિંમતની કિટ હોય છે અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને કન્યાદાનઆંખના ઓપરેશન માટે આર્થિક મદદમેન્ટલી ચેલેન્જ બાળકો માટે ભાવતા ભોજન આપવા વગેરે પ્રવૃત્તિઓ ઉપલબ્ધ નાણાંકીય ભંડોળ મુજબ યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ દ્વારા કરવામાં આવે છે






Latest News