મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે સસરાએ મારી દીકરીને કેમ હેરાન કરો છો કહેતા જમાઈએ છરી-લાકડી વડે માર માર્યો


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે સસરાએ "મારી દીકરીને કેમ હેરાન કરો છો" કહેતા જમાઈએ છરી-લાકડી વડે માર માર્યો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આઈટીઆઈની બાજુમાં પીજીવીસીએલના સબ સ્ટેશનની પાછળના ભાગમાં મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધ અને તેના જમાઈએ લાકડી તેમજ છરીથી ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઇ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતા મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઇટીઆઇની બાજુમાં પીજીવીસીએલના સબ સ્ટેશનની પાછળ ના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા રાજસીભાઇ ભગવાનજીભાઈ માલદેવ જાતે ગઢવી (ઉંમરમાં ૬૧) ને તેના જમાઈ સંજય પ્રવીણભાઈ મારુંએ લાકડી વડે અને છરીથી માર માર્યો હોવા અંગેની તેને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની દીકરી જશુબેનને તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી અને તે માવતર આવતી રહી હતી ત્યારે તેના જમાઇ સંજય પ્રવીણભાઈ મારું લાકડી લઈને ત્યાં આવ્યા હતા અને રાજસીભાઈએ તેના જમાઇને કહ્યુ હતુ કે "મારી દીકરીને કેમ હેરાન કરો છો" જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે રાજશીભાઇને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી અને વચ્ચે પડેલા સાહેદોને પણ માર માર્યો હતો અને પોતાની પાસેની રહેલી છરી કાઢીને રાજસીભાઈને ઇજાઓ કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા રાજશીભાઇએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇજા પામેલા વૃદ્ધની ફરીયાદ લઇને તેના જમાઈની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News