મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી


SHARE













વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેર શહેરમાં દુકાન પચાવી પડી હોવાથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો અને દુકાનના મલીકને ગાળો આપીને ધમકી આપી હતી જે કેસમાં આરોપી જલાલભાઈ વલીભાઈ પરાસરાઆગોતરા જામીન અરજી કરી હતી જો કે, ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે

વાંકાનેરમાં ફરીયાદી રસુલ હાજીભાઈ માથકીયાએ ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની વાકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નંબર ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વા. ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે વાપરવા આપી હતી જે દુકાન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબજો કરી લીધો હતો અને વપરાશ કરતા હતા જેથી કરીને ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી સોંપી આપવા જણાવતા ફરીયાદીને ગાળો બોલી મારવા દોડી એક બીજાને ગુન્હામાં મદદગારી કરેલ હતી જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વીરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ-૪(૩),૫(સી) મુજબ તથા ઈ.પી.કો કલમ ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો આ કેશના મુખ્ય આરોપીએ આગોતરા જામીન પર મુકત જવા કોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે ફરીયાદીના વકીલ દીલીપ અગેચાણીયાઆગોતરા જામીન અરજી રદ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા આ કામે બન્ને પક્ષકારો ત૨ફેની દલીલ સાંભળી ફરીયાદી તરફના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કામમાં ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.

 






Latest News