મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી


SHARE











વાંકાનેરના લેન્ડ ગ્રેબિંગના ગુનામા આરોપીની આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી

વાંકાનેર શહેરમાં દુકાન પચાવી પડી હોવાથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો અને દુકાનના મલીકને ગાળો આપીને ધમકી આપી હતી જે કેસમાં આરોપી જલાલભાઈ વલીભાઈ પરાસરાઆગોતરા જામીન અરજી કરી હતી જો કે, ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે

વાંકાનેરમાં ફરીયાદી રસુલ હાજીભાઈ માથકીયાએ ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની વાકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નંબર ૩૦૦૨ પૈકી ચે.ફ.ચો.મી. ૯૫-૭૮ સે.મી.ચો.વા. ૧૧૫ વાળી પાકી દુકાન સબંધના નાતે વાપરવા આપી હતી જે દુકાન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબજો કરી લીધો હતો અને વપરાશ કરતા હતા જેથી કરીને ફરીયાદીએ આરોપીઓને આ દુકાન ખાલી કરી સોંપી આપવા જણાવતા ફરીયાદીને ગાળો બોલી મારવા દોડી એક બીજાને ગુન્હામાં મદદગારી કરેલ હતી જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વીરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ-૪(૩),૫(સી) મુજબ તથા ઈ.પી.કો કલમ ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો આ કેશના મુખ્ય આરોપીએ આગોતરા જામીન પર મુકત જવા કોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે ફરીયાદીના વકીલ દીલીપ અગેચાણીયાઆગોતરા જામીન અરજી રદ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા આ કામે બન્ને પક્ષકારો ત૨ફેની દલીલ સાંભળી ફરીયાદી તરફના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કામમાં ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા.

 






Latest News