વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે બાળકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો


SHARE











વાંકાનેર તાલુકા પોલીસે બાળકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસેથી આશરે ૧૫ વર્ષનો માનસિક બીમાર સગીર મળી આવ્યો હતો જેથી ગામના જાગૃત વ્યક્તિએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને લઈને આવ્યા હતા ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકની પૂછપરછ કરવામાં આવી હતી અને તે ફર્યું ફર્યું બોલતો હતો છેવટે પોતે પાળીયાદનો વતની હોવાનું જણાવતો હોય વાંકાનેર પોલીસે પાળિયાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પાળીયાદ પોલીસને ફોટા મોકલીને ફોટા ત્યાં વાઇરલ કરવામાં આવ્યા હતા જેના આધારે તેનો બાળકના પરિવારનો પતો લાગ્યો હતો અને ત્યાંથી તેના બનેવી તેને લેવા આવ્યા હતા જેમાં ખુલ્યું હતું કે મોરબીના વાંકાનેર તાલુકાના જાલીડા ગામેથી મળી આવેલ બાળકનું નામ પ્રવીણ રવજી ચૌહાણ (૧૫) છે અને તે પાળીયાદનો છે અને તે માનસિક અસ્થિર હોય અગાઉ પણ અનેક વખત ઘરેથી નીકળી ગયેલ છે તે મુજબ તે ગત તા. ૨૭ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો અને વાંકાનેર નજીકથી મળી આવ્યો હતો હાલ વાંકાનેર પોલીસે પાળિયાદ જાણ કરતા તેના બનેવી વિજય કેસાભાઇ કટેશીયા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પ્રવીણ ચૌહાણને તેને સોપી દેવામાં આવ્યો હતો આ કામ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજામ મયુરસિંહ વિગેરે કરી હતી






Latest News