મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે બાળકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો


SHARE











વાંકાનેર તાલુકા પોલીસે બાળકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસેથી આશરે ૧૫ વર્ષનો માનસિક બીમાર સગીર મળી આવ્યો હતો જેથી ગામના જાગૃત વ્યક્તિએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને લઈને આવ્યા હતા ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકની પૂછપરછ કરવામાં આવી હતી અને તે ફર્યું ફર્યું બોલતો હતો છેવટે પોતે પાળીયાદનો વતની હોવાનું જણાવતો હોય વાંકાનેર પોલીસે પાળિયાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પાળીયાદ પોલીસને ફોટા મોકલીને ફોટા ત્યાં વાઇરલ કરવામાં આવ્યા હતા જેના આધારે તેનો બાળકના પરિવારનો પતો લાગ્યો હતો અને ત્યાંથી તેના બનેવી તેને લેવા આવ્યા હતા જેમાં ખુલ્યું હતું કે મોરબીના વાંકાનેર તાલુકાના જાલીડા ગામેથી મળી આવેલ બાળકનું નામ પ્રવીણ રવજી ચૌહાણ (૧૫) છે અને તે પાળીયાદનો છે અને તે માનસિક અસ્થિર હોય અગાઉ પણ અનેક વખત ઘરેથી નીકળી ગયેલ છે તે મુજબ તે ગત તા. ૨૭ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો અને વાંકાનેર નજીકથી મળી આવ્યો હતો હાલ વાંકાનેર પોલીસે પાળિયાદ જાણ કરતા તેના બનેવી વિજય કેસાભાઇ કટેશીયા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પ્રવીણ ચૌહાણને તેને સોપી દેવામાં આવ્યો હતો આ કામ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજામ મયુરસિંહ વિગેરે કરી હતી






Latest News