વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

શિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી


SHARE











શિક્ષક કભી સાધારણ નહિ હોતા : ટંકારાના હરબટીયાળી ગામના શિક્ષિકાએ ગામની બજાર બોલતી કરી

મોરબી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા "બોલતી બજાર" નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.શાળા સમય બાદ તેમજ વેકેશનના સમયમાં બાળકો રમતા રમતા શીખે તે હેતુથી ગીતાબેન દ્વારા ગામની બજારની દીવાલોમાં વિવિધ વિષયોના પાયાગત કન્ટેન્ટને આવરી લઈને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ચારેય ભાષા માટે મૂલાક્ષરોથી લઈ તમામ પાયાગત વિષયવસ્તુ તેમજ ગણિત,પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનનું વિષયવસ્તુ બાળકો રમતા રમતા તેમજ હાલતા ચાલતા શીખે તે રીતે દીવાલો સજાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે સાપસીડી, લુડો, ચેસ, ઇસ્ટો વગેરે જેવી રમતો તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.

દીવાલોને ખખડાવતા જાણે સહજ રીતે બોલતી હોય તેવું લાગે તેવો પ્રયોગ ગીતાબેન દ્વારા કરવામાં આવ્યો છે.હરહંમેશ આવી નાવીન્યપૂર્ણ કામગીરી કરતા ગીતાબેન દ્વારા કરાયેલ આ કામગીરીની તમામ લોકોએ પ્રશંસા કરી હતી. શિક્ષક ધારે તો શું કરી શકે તે ખરેખર આજ ગીતાબેનના પ્રયોગ દ્વારા ચરિતાર્થ થતું જણાય છે.બોલતી બજારના લોકાર્પણ સમયે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બી.આર.સી.કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કૌશિકભાઈ ઢેઢી, ગામના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી શાળાના આચાર્ય મગનલાલ ઉજરીયા, શિક્ષક મહેશભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતાબેનના કાર્યને બિરદાવ્યું હતું






Latest News