ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.) ના ખાખરેચી ગામે વિટ્રીફાઈડ યુનિટમાં બે લોકોને લાગ્યો ઇલેક્ટ્રિક શોટ : એકનું મોત


SHARE











મોરબી : માળીયા(મિં.) ના ખાખરેચી ગામે વિટ્રીફાઈડ યુનિટમાં બે લોકોને લાગ્યો ઇલેક્ટ્રિક શોટ : એકનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા ખાખરેચી ગામે વિટ્રીફાઇટ ટાઇલ્સના યુનિટમાં માટી વિભાગમાં ચાર લોકો માટીના કૂવાની સફાઇનું કામ કરતા હતા ત્યારે મોટરનૈ વાયરીંગમાં શોટ થવાને લીધે બે લોકોને સારવારમાં ખસેડાયા હતા જે પૈકીના એક મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.

માળીયા મીંયાણા પોલીસ મથક તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે આવેલ એકઝીશન વિટ્રીફાઇડ ટાઇલ્સ નામના યુનિટમાં માટી ખાતાની અંદર માટીની કુંડી ચાર લોકો સાફ કરી રહ્યા હતા.ત્યારે મગનભાઈ આદિવાસી (ઉમર ૪૫) તેમજ દિનેશ હિરસિંગભાઇ ગાડડીયા જાતે ભીલાલા આદિવાસી (ઉમર ૧૯) હાલ રહે.ખાખરેચી તા.માળીયા મીંયાણા જી.મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાઓને જેતપર(મચ્છુ) પીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં મગનભાઈને સારવાર આપવામાં આવતા તેઓને સારું થઇ ગયું હતું જોકે દિનેશ હિપસિંગ ગાડડીયા જાતે આદિવાસી નામના ૧૯ વર્ષીય મજુર યુવાનને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા અહીં તેને મૃત જાહેર કરાયો હતો. બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસ મથકે જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર રમેશભાઈ ગોહિલ અને દેવુભાએ આગળની તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે દિનેશ હિરસિંગ ગાડરિયા તેમજ મગનભાઈ આદિવાસી સહિત ચાર લોકો યુનિટીની અંદર માટી વિભાગમાં કામ કરી રહ્યા હતા ત્યારે મોટરના  વાયરીંગમાં શોર્ટ લાગવાથી લોખંડની સીડી ઉપર ઉભેલા બે લોકો મગનભાઈ આદીવાસી અને દિનેશ આદિવાસીને શોટ લાગ્યો હતો. જેથી કરીને બંનેને જેતપર પીએચસી ખાતે લઈ જવાયા હતા જ્યાં મગનભાઈને સારવાર આપીને સારું થઈ જતા રજા આપવામાં આવી હતી અને દિનેશ ગાડડીયા (૧૯) નામના અપરણીત એમપીના મજુર યુવાનનું મોત નીપજયું હતું.

બે યુવાનનો સારવારમાં

ટંકારા તાલુકાના અમરાપર ગામે ભરવાડવાસ પાસે રહેતા હુશૈનભાઈ જીવાભાઈ ખોરજીયા નામના ૪૮ વર્ષીય યુવાનને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હોય હુશૈનભાઇને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.બનાવના પગલે એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો દિપક પ્રફુલભાઈ લાંઘણોજા નામનો ૩૭ વર્ષીય યુવાન સોખડા ગામે ગયો હતો અને ત્યાંથી વાવડી પરત આવતો હતો ત્યારે ભરતનગર ગામ પાસે તેના બાઇકના ટાયરની ટ્યુબ ફાટી જવાથી બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી કરીને દિપકભાઇને ઇજાઓ થતાં અહીં ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.






Latest News