મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવા કે.ડી. બાવરવાની માંગ


SHARE













માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવા કે.ડી. બાવરવાની માંગ

માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓ ઘણા હેરાન થાય છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે અને ત્યાં કાયમી ડોક્ટરની નિમણુક કરવાની માંગ કરેલ છે

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, માળિયા (મી.) ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં કોઈ કાયમી ડોક્ટર નથી. તે બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ડોક્ટર ન હોવાના કારણે ઘણા દર્દીઓને મોરબી અથવા રાજકોટ સારવાર માટે જવું પડે છે. અને ખાસ કરીને પ્રસુતિના કેશો પણ મોરબી રવાના કરવામાં આવે છે. જેથી સગર્ભા સહિતના દર્દીઓને હળકીનો સામનો કરવો પડતો હોય છે માટે તતકાલિક આ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો ડોક્ટર નહીં મૂકવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે






Latest News