વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ
SHARE








વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ
હાલમાં સમગ્ર ભારતની અંદર ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ઠેરઠેર પંડાલોમાં અને લોકોના ઘરે ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહયું છે ત્યારે વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ ગણપતિમાં આરતી, પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે વાંકાનેરના મહારાણા કેશરીસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ રાઠોડ, કૃપાલસિંહ ઝાલા, પરેશભાઈ મઢવી, અમારીશભાઈ મઢવી સહિતના આગેવાનોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી જેમાં વિવેકાનંદ સોસાયટીના લોકો સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા

