મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ખખાણામાં યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











વાંકાનેરના ખખાણામાં યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે હોસ્પિટલે ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા પ્રકાશભાઈ લાખાભાઈ ઝાલા જાતે કોળી (૨૧)એ રાત્રિના નવ વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા તેના ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવીની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા વનરાજસિંહ બાબરીયા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, મૃતક યુવાનના લગ્ન છ મહિના પહેલા થયા હતા અને તેના પત્ની માવતર ગયા હતા દરમિયાન તેણે પોતાના ઘરે આવીને જમવાનું માંગ્યું હતું ત્યારે તેની માતાને પેટમાં દુખતું હોવાથી માતાએ તેને જાતે જમવાનું લઈ લેવા માટે કહ્યું હતું ત્યાર બાદ તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો અને તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો વધુમાં મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે આ યુવાન તામસી મગજનો હતો અને તેને અગાઉ પણ એક વખત આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ વાલજી ખંડોલા (૪૧) નામના યુવાનને રફાળેશ્વર ચોકડી પાસે થયેલ મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.
વૃદ્ધનું મોત
મોરબીના દરબારગઢ પાસે આવેલ હનુમાન ડેરી પાછળ રહેતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમર (૫૯) નામના વૃદ્ધને તે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉડ્યો હતો જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News