ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં મચ્છુ-1 ડેમમાં નવા 12 ફૂટ પાણીની આવક


SHARE











વાંકાનેરનાં મચ્છુ-1 ડેમમાં નવા 12 ફૂટ પાણીની આવક

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર પંથકનાં જળસ્ત્રોત એવા મચ્છુ 1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 12 ફૂટ પાણીની જંગી આવક થતાં આ વિશાળ ડેમને હવે ઓવર ફ્લો થવામાં માત્ર નવ ફૂટ બાકી રહ્યુ છે.

વાંકાનેર શહેર વિસ્તારમાં છેલ્લી 24 કલાકમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે,સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે વાંકાનેરમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ 402 મી.મી નોંધાયો છે, આ મુદ્દે વાંકાનેરનાં જાલસીકા પાસે આવેલ જળ સ્ત્રોત મચ્છુ 1 ડેમ ઈન્ચાર્જ એચ. જે. જાડેજાએ આપેલ વિગતો મુજબ 49 ફૂટની ઊંડાઈ ધરાવતા મચ્છુ 1 ડેમમાં ગઈ કાલે 28 ફૂટ પાણીની સપાટી હતી જે કૂવાડવા તરફનાં ઉપરવાસ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે 24 કલાકમાં 12 ફૂટ જેટલા જંગી પાણીનાં જથ્થાની આવક થઈ હતી અને આજે 40 ફૂટ સુધી પાણીની આવક નોંધાઈ હતી ત્યારે વાંકાનેરના આ વિશાળ જળસ્ત્રોતને ઓવર ફ્લો થવા આડે માત્ર 9 ફૂટનું છેટું હોવાનું ડેમ ઈન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે સમગ્ર સૌરાષ્ટ્ર નાં મોટા ભાગના વિસ્તારોમાં માં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ત્યારે વાંકાનેર માં માત્ર પોણા બે ઈંચ વરસાદ થયો છે ડેમમાં પાણીની માતબર આવક પણ થઈ ગઈ છે તેમ છતાં વાંકાનેર પંથકમાં માત્ર પાકને જીવત દાન મળ્યુ છે સારા પાક માટે હજુ સારા વરસાદની અનિવાર્યતા છે.






Latest News