મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ


SHARE











ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ

ટંકારા તાલુકાની બંગાવડી સિંચાઈ યોજનામાં હાલમાં મચ્છુ-૨ ડેમ મારફતે સૌની યોજનાનાનુ પાણી આપવામાં આવે છે તે પાણીને બંધ કરવામાં આવે તો ડુબ વિસ્તારના ખેડતોનો પાક બચી શકે તેમ છે જેથી કરીને ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પાણી હાલમાં બંધ કરવાની અને દોઢ મહિના પછી આપવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં ઓટાળા તથા દેવળીયા ગામના ડુબ વિસ્તારના ખાતેદારોઓ વાવેતર કરેલ છે જે પાક ઉતારા પર છે ત્યારે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી પાણી આવતા ખેડૂતોનો પાક ડૂબી શકે તેમ છે જેથી ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે ખેડૂતોને રાહત આપવા તેમજ પાક ઉતારી જાય ત્યા સુધિ રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતોએ દેવુ કરીને ખેતરોમાં વાવેતર કર્યું છે અને ડૂબ વિસ્તારના ખાતેદારોને જો નુકશાન થશે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ઓછું પાણી ભારે તો ઊભો પાક બચી જાય અને ડૂબમાં ગયેલ જમીન ખાતેદારને નુકશાન ન થાય અને કેનાલ નીચે આવતા ટીમડી, બંગાવડીમાં પાણીની માગણી કરેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને થાનર નુકશાન બચી જાય તેમ છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, હાલમાં ઓટાળા, દેવળીયા તથા બંગાવડીનાં ખાતેદારોને પાણીની જરૂર નથી અને દોઢ માસ પછી ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે સમયસર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે






Latest News