ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું


SHARE







મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭/૯/૨૦૦૧ ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે રાજ્ય તલાટી મહામંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં કારોબારીમાં સર્વાનુમતે નક્કી કરીને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા. ૭/૯/ ૨૦૨૧ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ હતા છતાં આજ સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાતા આજે મોરબી જિલ્લા તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ બી.જે. બોરસાણીયાની આગેવાનીમાં કલેક્ટર, ડીડીઓ,ધારાસભ્યોએ અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં દ્વારા હકારાત્મક નિરાકરકણ લાવવા ભલામણ થાય તેવી લાગણી અને માંગણી કરેલ છે અને જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવશે તેમાં મોરબી જીલ્લા તમામ તલાટી કમ મંત્રી જોડાવવાના છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News