મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે ઢોર ચરાવવાની બાબતે મારામારીમાં ડબલ મર્ડર: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE











હળવદના જોગડ ગામે ઢોર ચરાવવાની બાબતે મારામારીમાં ડબલ મર્ડર: સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા જોગડ ગામે ભેસો ચરાવાની બાબતે કોળી સમાજના બે જુથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બનાવમાં બંને પક્ષના એક એક વ્યક્તિની હત્યા થયેલ છે જેથી ડબલ મર્ડરની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં બંને પક્ષની સામસામી ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના જૂની જોગડ ગામે ગઇકાલે સાંજના સમયે ભેંસ ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં એક જ જ્ઞાતીના બે જુથ સામસામે આવી ગયા હતા અને મારા મારી થઈ હતી જેમાં બંને પક્ષના એક એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના મોત નિપજ્યાં હતા અને ડબલ મર્ડરની ઘટના બનેલ હતી જેની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોચેલ હતી અને રઘુભાઈ કોળી તથા નવઘણભાઈ કોળી નામના બે વ્યક્તિની હત્યા થઈ હોવાનું સમેયાવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશને હાલમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે

જોગડ ગામે આવેલ રામેશ્વરમાં રહેતા ભીમજીભાઇ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૦)એ હાલમાં નવઘણભાઈ સીધાભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ રઘુભાઈ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૫) સાથે આરોપીને રસ્ત ઉપરથી ઢોર હાંકવાં બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં આરોપીએ તેના ભાઈને માથાના ભાગે અને કાનની નીચેના ભાગમાં લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે આ હત્યાનો ગુનો નોધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સામા પક્ષેથી જૂની જોગડ ગામે રહતા પ્રહલાદભાઈ સીધાભાઇ જિંજવાડીયા (૩૩)એ સુનિલ રણજીત, વિશાળ રણજીત, હરેશ ભીમજી અને જયદીપ દિનેશ સામે તેના ભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, આરોપના કૌટુંબિક રઘુભાઈ સાથે ફરિયાદીના ભાઈ નવઘણને બોલાચાલી થઈ હતી અને બાદમાં મારા મારી થઈ હતી જેમાં રઘુભાઈનું મોત નીપજયું હતું બાદમાં આરોપીઓએ ધોકા અને પાઇપ વડે નવઘણ ઉપર હુમલો કરીને આડેધડ માર માર્યો હતો જેથી તેનું મોત નીપજયું છે આમ પોલીસે હત્યાની સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News