મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીમાંથી પસાર થતી મચ્છુ-૨ની કેનાલમાં ગટરની ગંદકી બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ-૨ની જે મેઈન કેનાલ આવેલ છે તેમાં હાલમાં ગટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે જેથી કરીને આગામી સમયમાં લોકોના સ્વાસ્થ્ય અને ખેતી બંનેને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તેને બંધ કરવવા માટે સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને યોગ્ય આદેશ કરવા મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆતમાં કરેલ છે

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના મચ્છુ- ૨ ડેમથી ખેડૂતોને સીંચાઈનું પાણી આપવા માટે જે કેનાલ બનાવવામાં આવી છે તે મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને છેલ્લા એક મહિનાથી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવેલ છે. અને હાલમાં આ કેનાલમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને તેમજ ખેતીને નુકશાન થાય તેમ છે તો પણ ગટર નું પાણી બંધ કરાવવામાં આવી રહ્યું નથી જેથી મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આ બાબતે સ્થાનિક લોકોએ સિંચાઈના અધિકારી, પાલિકાના ચીફ ઓફીસર, તેમજ રવાપરના સરપંચ સહિતનાઓને રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ તેનું નિરાકારણ કરવામાં આવ્યું નથી જેથી કરીને હવે સીધી જ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે  જો હવે કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News