​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમા રહેતા યુવાને પાડોશમાં રહેતા પરિવારની મહિલા સાથે બીભત્સ ચેડાં કર્યા હતા જેથી કરીને તેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવાનના ગાળા ઉપર છરી થી ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના સંબંધીની ફરિયાદ લઈને પોલિસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ હોટલ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂર યુવાન જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (૨૭) મૂળ રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાના હત્યા કરી હતી આ બનાવમાં મૃતક યુવાનના બનેવીના ભાઈ નીરાજભાઈ જવાહરભાઇ પાંડે (૩૫) રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાની ફરિયાદ લીધેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની પત્નીને બે દિવસ પહેલા મૃતક યુવાને બીભત્સ ઇશારા કર્યા હતા તેથી આરોપી સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તેની હત્યા કરી નાખી છે હાલમાં પોલીસે આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (ઉમર ૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની ધરપકડ કરેલ છે.

ગાંધીચોક પાસે મારામારી

મોરબીના કાલીકાપ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકી નામનો ૩૭ વર્ષીય યુવાન ગાંધીચોક પાસે હતો.ત્યારે દુબલીયાભાઈ આદિવાસી નામના ઈસમે તેમને અને તેમની સાથે રહેલા અન્ય એક સાહેદને વગર વાંકે ઝઘડો કરી બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી ભુપતભાઈ સોલંકીને સારવાર માટે લઈ જવાયા હતા.ભુપતભાઈ સોલંકીએ દુબલીયાભાઇ આદિવાસી નામના ઇસમ સામે એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News