ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડ ઉપરના બ્રિજના ડાઈવર્ઝન રિપેર કરવાની માંગ


SHARE













મોરબી-રાજકોટ રોડ ઉપરના બ્રિજના ડાઈવર્ઝન રિપેર કરવાની માંગ

મોરબી રાજકોટ વચ્ચે ઘણા લાંબા સમયથી ફોર લેનનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં જે જગ્યાએ ઓવરબ્રિજનું કામ આવે છે તે કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. અને ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે. તે ડાયવર્ઝન ખરાબ હાલતમાં છે. માટે ટી રીપેર કરવાની માંગ કરવામા આવી છે

મોરબી રાજકોટ વચ્ચે અનેક ડાયવર્ઝન ખરાબ હાલતમાં છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે. લોકો હેરાન થાય છે. અને બીમાર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ નથી નીકળી શકતી તો આ ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ માંગ કરાયેલ છે. આ ઉપરાંત આ નવો બનેલો રોડ પણ અમુક જગ્યાએથી તૂટી ગયેલ છે. જેને પણ તાત્કાલિક રીપેરીંગ કરવાની તાતી જરૂરિયાત છે જેથી તે વધું ના તૂટે. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરી છે અને ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે 






Latest News