મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આજથી ગણેશોત્સવ પ્રારંભ: જાહેર પંડાલો અને ઘેર ઘેર ગણેશ સ્થાપન


SHARE















ગઢની રાંગ ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ ખાતે ગણેશ સ્થાપન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજથી ગણેશોત્સવનો મંગલ પ્રારંભ થયો છે ત્યારે જાહેર પંડાલો ઉપરાંત ઘેર ઘેર પણ શહેરીજનો દ્વારા ભાવપૂર્વક ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી અનેક ધાર્મિક તહેવારો ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની છૂટ છાટ આપવામાં આવતાં ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર જાહેર પંડાલો અને ઘેર ઘેર પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ચાવડી શેરી ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરેક ધાર્મિક તહેવારોની ધર્મમય ઉજવણી કરવામાં આવે છે આજરોજ આ વિસ્તારનાં રહીશ હરૂભાઈ લચ્છુભાઈ કટારિયા (સિંધી) નાં ઘેરથી પ્રથમ ગણેશ પ્રતિમાનું પૂજન વિધિ કરી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અહીં દરરોજ આરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે, આ વિસ્તારનાં લતા વાસીઓમાં ગણેશોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






Latest News