મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો


SHARE













મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો

મોરબીમાથી અંતરરાજય ડુપ્લીકેટ રેમડેસીવર ઇજેકશનનું કૌભાંડ ઝડપાયું હતુ જેમાં અત્યાર સુધીમાં ૩૨ આરોપીને પકડવામાં આવ્યા છે તે પૈકીનાં એક આરોપીની જમીન અરજી મોરબીની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જમીન મંજૂર કરેલ છે

મોરબીમાં કોરોના -૧૯ વાયરસ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવર ઇજેકશનની અછત હોવાથી બ્લેક માર્કેટીંગ કરવામાં આવતું હોવાના સમાચારો આવ્યા હતા જેથી મોરબી એલ.સી.બી.ની ટીમે શકિત ચેમ્બર-૨ રાધે હોટલ પાસે, ક્રિષ્ના ચેમ્બસ-૩ દુકાન નં. ૧૬, ૧૭ “ ઓમ એન્ટીક ઝોન ” નામની દુકાનમાં રેડ કરી હતી અને ત્યાથી ડુપ્લીકેટ રેમડેસીવર ઇજેકશન સાથે રાહુલ અશ્વિનભાઇ કોટેચા અને રવિવરાજ ઉર્ફે રાજ મનોજ હીરાણી રહે. બંન્ને મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ કૌભાડમાં કુલ ૩૫ આરોપીઓના ના સામે આવ્યા હતા જેમાંથી ૩૨ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બાકીના ૩ આરોપી નાસતા ફરતા છે તેમ ચાર્જશીટમાં જણાવેલ છે આ આરોપીઑ પૈકીનાં ફકીર મોહનગીરી મધુસુદનગીરી એકાદસ્તલી જાતે ગીરી રહે. વાપી જિલ્લો વલસાડ વાળાની ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જકશન ઉપર લગાવવામાં આવેલ “ સ્ટીકર” ની કોમ્યુટર ઉપર આબેહુબ ડીઝાઇન બનાવવામાં ગુનામાં ધરપકડ થયેલ હતી

તેને ડીઝાઇન પોતાના મોબાઇલ મારફતે ઇમેઇલ દ્વારા સોફટ કોપી બનાવી નાગજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે રહે. વાપી વાળાના મોબાઇલમાં મોકલાવેલ અને તે આરોપીઓ કોશલ વોરા અને પુનીત શાહને આ સ્ટીકરો તૈયાર કરીને આપવામાં આવ્યા હતા આ ગુન્હાના કામે ચાર્જશીટ થયા બાદ ફકીર મોહનગીરી મધુસુદનગીરી એકાદસ્તેલી જાતે ગીરીએ વકીલ પી.ડી. માનસેતા દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આશીષ ડી. ઓપ્પા સમક્ષ તારીખ ૩/૯ ના રોજ જામીન અરજી મૂકી હતી જેમાં વકીલ પી.ડી. માનસેતાએ કરેલી કાયદાકીય દલીલો અને જામીન અરજી તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદા ધ્યાને લઈને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે અને ૫૦,૦૦૦ રૂપિયા સોલવન્સી જામીન આપવામાં આવ્યા છે અને આરોપીને ગુજરાત રાજયની હદ છોડવી નહી તેવો હુકમ કરવામાં આવ્યો છે તેવું વકીલ પી.ડી. માનસેતાએ જણાવ્યુ છે






Latest News