મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE











મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને રેતી ચોરી કરનાર શખ્સની સામે હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ૩,૨૬,૮૫૦ ના ખનીજની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મુળ જામનગરમાં સરુ સેકશન રોડ શિવમ પેટ્રોલપંપની બાજુમાં રહેતા અને હાલમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણનગરમાં રહેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશભાઇ રામભાઇ ગોજીયા (૨૯) દ્વારા વિપુલભાઈ શાંતિલાલ નિમાવત રહે. ૧૦૩સીટી પેલેસશનાળા રોડમોરબી વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી આરોપીએ નિયમ ૨૨ ના શિડ્યુલ ׀׀׀ (C) મુજબ ૩૭૪.૮૫ મેટ્રિક ટન સાદી રેતી ખનિજના પ્રતિ મેટ્રિક ટનના રૂપિયા ૨૪૦ લેખે રૂપિયા ૮૯,૯૬૪ તેમજ શિડ્યુલ ॥।(D) મુજબ ૧ એસ્કેવેટર મશીનના ૨,૦૦,૦૦૦ તેમજ પર્યાવરણીય નુકશાની વળતરના સરકારના ઉધોગ અને ખાણ વિભાગગાંધીનગરના ઠરાવ તા.૧૦/૯/૨૦૧૮ ના નિયમ મુજબ સાદી રેતી ખનિજ માટે ખનિજ કિંમત રૂ.૨૪૦/- પ્રતિ મેટ્રિક ટનના ૪૧% લેખે બિનઅધિકૃત ખનનના ૩૬,૮૮૬ મળી કુલ ૩,૨૬,૮૫૦ ના ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરી ગુન્હો કર્યા છે જેથી કરીને હાલમાં તેની સામે તાલુક પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧)૪(૧) (એ)૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર -૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News