મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે અને નકુલભાઈના અકાળે અવસાનથી વઘાડિયા પરિવાર ઉપર જે દુખની ઘડી આવી પડી છે ત્યારે મનથી મજબૂત પરિવાર દ્વારા જરૂરિયાતના સમયે બીજા લોકોને તાત્કાલિક રક્ત મળી રહે અને રક્તના લીધે કોઈ દર્દીનુ અવસાન ન થાય તેવી ભાવના સાથે નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ આગામી શુક્રવાર અને તા ૩ માર્ચના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના નકુલભાઈ મિસ્ત્રી ગત તા ૨૭ ના રોજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર પડી જતાં તેને માથામાં ઇજા થવાથી તેનું અવસાન થયું હતું જેથી આગામી તા ૩ માર્ચને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેઓનું બેસણું મોરબીના આલાપ રોડ પર વજેપરના સાયન્ટીફિકની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. અને બેસણાની સાથે સાથે તેના પરિવારજન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકુલભાઈના મિત્રો, પરિવારજનો સહિતના લોકો દ્વારા બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે રક્તદાન કરવામાં આવશે






Latest News