મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે અને નકુલભાઈના અકાળે અવસાનથી વઘાડિયા પરિવાર ઉપર જે દુખની ઘડી આવી પડી છે ત્યારે મનથી મજબૂત પરિવાર દ્વારા જરૂરિયાતના સમયે બીજા લોકોને તાત્કાલિક રક્ત મળી રહે અને રક્તના લીધે કોઈ દર્દીનુ અવસાન ન થાય તેવી ભાવના સાથે નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ આગામી શુક્રવાર અને તા ૩ માર્ચના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના નકુલભાઈ મિસ્ત્રી ગત તા ૨૭ ના રોજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર પડી જતાં તેને માથામાં ઇજા થવાથી તેનું અવસાન થયું હતું જેથી આગામી તા ૩ માર્ચને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેઓનું બેસણું મોરબીના આલાપ રોડ પર વજેપરના સાયન્ટીફિકની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. અને બેસણાની સાથે સાથે તેના પરિવારજન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકુલભાઈના મિત્રો, પરિવારજનો સહિતના લોકો દ્વારા બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે રક્તદાન કરવામાં આવશે






Latest News