ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો


SHARE









મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો

મોરબીના શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ઘનશ્યામ મહારાજનો ૨૩ મો પાટોત્સવ મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસ સ્વામીની હાજરીમાં ઉજવાયો હતો જેમાં રાત્રીકથા, જપયજ્ઞ, કથાવાર્તા મંગળા આરતી, અભિષેક દર્શન, શણગાર, ૫૬ ભોગ અન્નકૂટ દર્શન, સંત આશીર્વાદ, મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આદ્રોજા મનુભાઈ પ્રેમજીભાઈ અને વિજયભાઈ લવજીભાઈ પરિવાર તરફથી સંસ્કારધામ ગૌશાળાને ગાયોના ઘાસચારા માટે બોલેરો ગાડી ભેટ આપી હતો તેમજ આ સમારોહમાં પેપરમીલ ઉદ્યોગપતિ મૂળ મોડપરના વતની અને હાલ મોરબી ડાયાભાઇ બેચરભાઈ કગથરા પુત્ર હરેશભાઇના હસ્તે ઘનશ્યામ મહારાજને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરેલ છે અને આ તકે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં સંસ્કારધામ મંદિર સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા આ સમારોહનું સફળ સંચાલન શાસ્ત્રી સ્વામીએ કર્યું હતું.






Latest News