મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો


SHARE







મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો

મોરબીના શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ઘનશ્યામ મહારાજનો ૨૩ મો પાટોત્સવ મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસ સ્વામીની હાજરીમાં ઉજવાયો હતો જેમાં રાત્રીકથા, જપયજ્ઞ, કથાવાર્તા મંગળા આરતી, અભિષેક દર્શન, શણગાર, ૫૬ ભોગ અન્નકૂટ દર્શન, સંત આશીર્વાદ, મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આદ્રોજા મનુભાઈ પ્રેમજીભાઈ અને વિજયભાઈ લવજીભાઈ પરિવાર તરફથી સંસ્કારધામ ગૌશાળાને ગાયોના ઘાસચારા માટે બોલેરો ગાડી ભેટ આપી હતો તેમજ આ સમારોહમાં પેપરમીલ ઉદ્યોગપતિ મૂળ મોડપરના વતની અને હાલ મોરબી ડાયાભાઇ બેચરભાઈ કગથરા પુત્ર હરેશભાઇના હસ્તે ઘનશ્યામ મહારાજને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરેલ છે અને આ તકે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં સંસ્કારધામ મંદિર સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા આ સમારોહનું સફળ સંચાલન શાસ્ત્રી સ્વામીએ કર્યું હતું.






Latest News