મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ડ્રાઇવિંગ કરવા ગયા પછી ગુમ થયેલા વૃદ્ધનું પોલીસે ચાર વર્ષે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE











મોરબીમાં ઘરેથી ડ્રાઇવિંગ કરવા ગયા પછી ગુમ થયેલા વૃદ્ધનું પોલીસે ચાર વર્ષે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ વૃદ્ધ છેલ્લા ચાર વર્ષથી ગુમ થઈ ગયા હતા જેથી તેની પત્નીએ ગુમસુધા ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે વૃદ્ધ અમદાવાદના બાવળા પાસે આવેલ હોટલેથી મળી આવેલ છે જેથી તેને લાવીને પોલીસે તેનું પરીવાર સાથે મિલન કરાવ્યુ છે

મોરબીના એસપી રાહુલ ત્રીપાઠીની સૂચનાથી જીલ્લામાં વણ શોધાયેલ ગુમ/અપહરણના ભોગ બનનારને શોધી કાઢવા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના પીઆઇ કે.એ. વાળાની ટિમ પણ ગુમ થયેલા તેમજ અપહરણ થયેલ લોકોને શોધવા માટે કામ કરી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૯ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રમાબેન બટુકભાઇ કલોલા રહે. ધર્મલાભ સોસાયટી મોરબી વાળાએ તેના પતિ બટુકભાઇ રણછોડભાઇ કલોલા તા.૧૫/૦૨/૨૦૧૯ ના પોતાના ઘરેથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ હતા ત્યાર બાદ તા.૨૪/૦૨/૨૦૧૯ ના રોજ ટ્રીપ કરી પરત આવી ઘરે આવ્યા ન હતા જેથી તે ગુમ થયા હોવાની જાણવા જોગ નોંધ કરીને પોલીસે તેને શોધવા માટે કવાયત શરૂ કરી હતી

હાલમાં ટેકનીકલ સોર્સ આધારે ગુમ થનાર બટુકભાઇ રણછોડભાઇ કલોલાના મોબાઇલ નંબર મેળવી અને તપાસ કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પીઆઇ કે.એ. વાળાએ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાંપડીયાને બાવળા ખાતે રવાના કર્યા હતા અને બાવળા ખાતે ઓનેસ્ટ હોટલ ખાતેથી તે મળી આવતા તેને મોરબી લાવીને સમજાવીને પોતાના ઘરે આવવા રાજી કરી ગુમ થનાર બટુકભાઇ ઉર્ફે નટવરલાલ રણછોડભાઇ કલોલા જાતે પટેલ (૬૫) રહે. ધર્મલાભ સોસાયટી મોરબી મુળ ઉમીયાનગર તાલુકો ટંકારા વાળાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે

જો કે, મોરબીથી ગુમ થયેલા બટુકભાઇને મોરબીથી પોતાના પરીવારને જાણ કર્યા વગર જતા રહેવા બાબતે પુછપરછ કરતા તેને જણાવ્યુ હતુ કે, આજથી દસેક વર્ષ અગાઉ પોતાનો જુવાનજોધ દીકરો અમિત ગળેફાંસો ખાઇને ગુજરી ગયેલ હોય જેથી મોરબીમાં પોતાનુ મન લાગતુ ન હોય અને પોતાના દીકરાના વિચારો આવતા હોય જેના કારણે કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતા આ કામગીરી પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ એમ.આર.ગામેતી, અશ્વીનભાઇ ઝાંપડીયા, જયેશકુમાર ચાવડા, યુવરાજસિંહ જાડેજા, ચતુરભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી






Latest News