મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આઇજી-ધારાસભ્યોની હાજરીમાં લોનમેલાના ૧૨૩ અરજદારોને ચેકનું વિતરણ કરાયા


SHARE











મોરબીમાં આઇજી-ધારાસભ્યોની હાજરીમાં લોનમેલાના ૧૨૩ અરજદારોને ચેકનું વિતરણ કરાયા

મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ ઝુંબેશ શરૂ કરી હતી તેની સાથોસાથ લોકોને બેંકમાંથી લોન મળે તેના માટે અગાઉ લોનમેલાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અરજી કરનારા અરજદારોમાંથી ૧૨૩ લોકોને આઇજી અને ધારાસભ્યોની હાજરીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બૅંક લોન મંજૂરીપત્ર તેમજ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબીમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં લોનમેલાના લાભાર્થી અરજદારોને ચેક આપવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં જુદીજુદી બેંકની જુદીજુદી યોજના અંતર્ગત લોન આપવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ ૧૨૩ લોકોને લોન મંજૂર કરવામાં આવી છે જેથી કરીને અધિકારી અને પદાધિકારીના હસ્તે તેને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, એસપી રાહુલ ત્રિપાઠી, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અધિક કલેકટર એન.કે. મુછાર, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુંભા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે મોરબી જીલ્લામાં હજુ વ્યાજખોરો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે

તો ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું હતું કે, વ્યાજખોરો સામે સારી કામગીરી કરી છે આવી જ કામગીરી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે કરવામાં આવે તેવી ટકોર કરી હતી સાથોસાથ પોલીસની લોનમેળાની કામગીરીને બિરદાવી હતી અંતમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, લોનમેલામાં લોકોને લોન મંજૂરીના પત્રો આપવામાં આવ્યા છે તેના માટે બેંકમાં જે રીતે લોન મજૂર કરવામાં માટે ટકાવારી લેવામાં આવે છે તેવી રીતે એકપણ રૂપિયો કોઇની પાસેથી લેવામાં આવેલ નથી અને જેથી જેને પણ લોન આપવામાં આવી છે તે લોકો સમયસર હપ્તા ભરે તે તેઓની જવાબદારી છે 






Latest News