મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામ સુધી પહોચ્યું નર્મદાનું પાણી: જીજ્ઞાશાબેન મેરની મહેનત રંગ લાવી


SHARE











વાંકાનેરના સતાપર ગામ સુધી પહોચ્યું નર્મદાનું પાણી: જીજ્ઞાશાબેન મેરની મહેનત રંગ લાવી

વાંકાનેર તાલુકાના સતાપર, તરડીયા અને વિનયગઢ ગામનો વાંકાનેર ગ્રુપ યોજનાના રંગપર સબ હે વર્ષમાં સમવેશ કરવામાં આવેલ છે. અને તરકીયા ગામની ૨૦૧૧ મુજબની વસ્તી ૧૦૭૭ તથા હાલની વસ્તી ૧૨૯૩ છે. સત્તાપર ગામની ૨૦૧૧ મુજબની વસ્તી ૯૨૬ તથા હાલની વસ્તી ૧૧૧ર છે. જ્યારે વિનયગઢ ગામની ૨૦૧૧ મુજબની વસ્તી ૭૨૩ તથા હાલની વસ્તી ૮૬૮ છે જેથી કરીને તે ગામની પાણીની સમસ્યાને ઉકેલવા માટેની પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેરને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં લોકોની પાણીની સમસ્યા ઉકેલવામાં આવી છે અને સતાપર ગામે હાલમાં નર્મદાનું પાણી આવી ગયું છે

વાંકાનેર તાલુકાના સતાપર, તરડીયા અને વિનયગઢ ગામમાં પાણીની સમસ્યા હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જીજ્ઞાશાબેન મેર દ્વારા આ મુદે પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેરથી લઈને કેબિનેટ મંત્રી કુંવારજીભાઈ બાવળીયા સુધી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યુ હતું જે, વાંકાનેર તાલુકાના તરકીયા ગામને તાંત્રીક કારણોસર જુથ યોજનાનુ પાણી પહોંચતુ નથી. આવી જ રીતે તરકીયા ગામને રંગપર સબ હેડ વર્ક્સથી અલગ- પાઇપલાઇન મારફત પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, તેના ટેન્ડરો પ્રસિધ્ધ થયેલ છે. પરંતુ કામ પુર્ણ થાય ત્યાં સુધી તરકીયા ગામના લોકોને પીવાનુ પાણી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી વાંકાનેર તાલુકાના સતાપર ગામ સુધી હાલમાં તંત્ર દ્વારા નર્મદાનું પાણી પહોચડવામાં આવ્યું છે અને લોકોને પીવાનું પાણી સમયસર મળતું રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વાંકાનેર તાલુકાના સતાપર, તરડીયા અને વિનયગઢ ગામની પાણીની સમસ્યાને કાયમી ધોરણે ઉલેકવા માટેનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું જીજ્ઞાશાબેન મેરે જણાવ્યુ છે






Latest News