વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE











મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી રોકડ રૂપિયા ૫૧૪૦૦ નો મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજભાઇ લોખીલને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે પોલીસે મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે  સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે રોકડ રૂપિયા ૫૧૪૦૦ ના મુદામાલને કબ્જે કરેલ છે અને હાલમાં પોલીસે જુગાર રમતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી જાતે મેમણ, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી જાતે મતવા, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી જાતે મતવા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી જાતે મતવા, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી જાતે કોળી, અલ્તાફભાઇ અબ્દુલભાઇ ખુરેશી જાતે મતવા, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી જાતે મતવા, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી જાતે મતવા અને એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયા જાતે સંધી રહે. બધા કબીર ટેકરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી પીઆઇની સૂચના મુજબ આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News