મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરની પ્રતાપપરા શેરીમાં બંધ મકાનના તાળાં તોડીને રોકડા-દાગીના મળીને ૮૭,૨૦૦ ની ચોરી


SHARE











વાંકાનેરની પ્રતાપપરા શેરીમાં બંધ મકાનના તાળાં તોડીને રોકડા-દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી

વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧ માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને આરોપીએ બે કબાટમાથી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી કરી છે જેથી કરીને પોલીસે મહિલાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર લીમડા લાઇન રજપુતપરા શેરી નં. ૨ સોની વાડીની સામે વસંત વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં. એ.૨૦૧ માં રહેતા દર્શીતાબેન મીહીરભાઇ સંઘવી જાતે જૈન વાણીયા (ઉ.૩૧)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૫/૯ ના સવારે ૯:૪૫થી લઈને તા.૬/૯ ના કલાક ૧૦:૦૦ સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સે તેની માતા લતાબેન ચંદુલાલ મહેતાનું વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧માં બંધ મકાન હતું તેના મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમા પ્રવેશ કરી રૂમમા રહેલા બે કબાટને કોસ જેવા હથીયારથી ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડા ૨૨૦૦૦, બીજા કબાટમા રહેલ રોકડા ૧૮૫૦૦ તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ ૮૭૨૦૦ ની ચોરી કરી છે જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઇને આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News