મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની પ્રતાપપરા શેરીમાં બંધ મકાનના તાળાં તોડીને રોકડા-દાગીના મળીને ૮૭,૨૦૦ ની ચોરી


SHARE















વાંકાનેરની પ્રતાપપરા શેરીમાં બંધ મકાનના તાળાં તોડીને રોકડા-દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી

વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧ માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને આરોપીએ બે કબાટમાથી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના મળીને ૮૭૨૦૦ ની ચોરી કરી છે જેથી કરીને પોલીસે મહિલાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર લીમડા લાઇન રજપુતપરા શેરી નં. ૨ સોની વાડીની સામે વસંત વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં. એ.૨૦૧ માં રહેતા દર્શીતાબેન મીહીરભાઇ સંઘવી જાતે જૈન વાણીયા (ઉ.૩૧)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૫/૯ ના સવારે ૯:૪૫થી લઈને તા.૬/૯ ના કલાક ૧૦:૦૦ સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સે તેની માતા લતાબેન ચંદુલાલ મહેતાનું વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-૧માં બંધ મકાન હતું તેના મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમા પ્રવેશ કરી રૂમમા રહેલા બે કબાટને કોસ જેવા હથીયારથી ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડા ૨૨૦૦૦, બીજા કબાટમા રહેલ રોકડા ૧૮૫૦૦ તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ ૮૭૨૦૦ ની ચોરી કરી છે જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઇને આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News