ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયામાં યુવાનને માર મરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ


SHARE











માળીયામાં યુવાનને માર મરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે ઉભેલા યુવાનને “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” કહીને બે શ્ખ્સોએ લોખંડની ડાંગ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઇયુવાને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન સફર સંસ્થાની બાજુમાં રહેતા રફીકભાઇ હનીફભાઇ ભટી જાતે મીયાણા (ઉ ૨૪)એ સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યુ હતું કે, તે માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે આદમભાઇ માલાણીની દુકાન નજીક હતો ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરીયાદીને કહેલ કે “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” અને બાદમાં જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી હતી અને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેકએ તેને જમણા પગમા લોખંડની ડાંગ વતી માર મારી ફેકચરની ઇજા કરી છે તથા આરોપી અલીઅકબરભાઇ અમીનભાઇ માણેકએ તેને બંન્ને હાથમા લાકડાના ઘોકા વતી માર મારી ઇજા કરેલ હતી આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને હાલમાં બંને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News