મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયામાં યુવાનને માર મરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ


SHARE













માળીયામાં યુવાનને માર મરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે ઉભેલા યુવાનને “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” કહીને બે શ્ખ્સોએ લોખંડની ડાંગ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ઇયુવાને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન સફર સંસ્થાની બાજુમાં રહેતા રફીકભાઇ હનીફભાઇ ભટી જાતે મીયાણા (ઉ ૨૪)એ સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યુ હતું કે, તે માળીયા મીયાણા નવા રેલ્વે સ્ટેશન પાસે આદમભાઇ માલાણીની દુકાન નજીક હતો ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરીયાદીને કહેલ કે “તે કેમ અમારી ફુઇની દિકરી નુરજાબેનનુ ઘર ભંગાવેલ છે” અને બાદમાં જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી હતી અને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેકએ તેને જમણા પગમા લોખંડની ડાંગ વતી માર મારી ફેકચરની ઇજા કરી છે તથા આરોપી અલીઅકબરભાઇ અમીનભાઇ માણેકએ તેને બંન્ને હાથમા લાકડાના ઘોકા વતી માર મારી ઇજા કરેલ હતી આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને હાલમાં બંને આરોપી સલમાનભાઇ ઓસમાણભાઇ માણેક અને અલીઅકબરભાઇ અમીનભાઇ માણેક રહે બંન્ને માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News