મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં


SHARE











મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેના લીધે પતિ-પત્ની અને તેમનો ત્રણ વર્ષનો દીકરો દાજી ગયો હોય સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ નજીકના ફેનિસ્ટો સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઈ જગાભાઈ પારઘી (૨૮) તેમના પત્ની લક્ષ્મીબેન વિજયભાઈ (૨૩) અને પુત્ર ધાર્મિક વિજયભાઈ પારઘી (ઉમર ૩) દાઝી જતા ત્રણેયને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને ખુલ્યુ હતું કે ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ત્રણેય દાઝી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

ભાઈએ કરેલ પ્રેમ લગ્નના મુદ્દે બહેનને માર મારનાર બે મહીલાઓની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીને બે મહિલાઓએ માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં ભોગ બનેલ મનીષાબેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે તેમના ભાઈ કિશોરએ પ્રેમ લગ્ન કર્યા હોય અને તે વાતનો રોષ રાખીને તેઓ જ્યારે શેરીમાંથી નીકળ્યા ત્યારે કાંતાબેન દિનેશભાઈ માધાભાઈ મકવાણા (૪૫) રહે. પંચાસર તાલુકો જીલ્લો મોરબી અને દક્ષાબેન કરણભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ (૨૩) રહે. દુધઈ જોડીયા જામનગરએ તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવેલ હોય તપાસ કરી રહેલા અજીતસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવમાં મનીષાબેન ઉપર હુમલો કરનાર કાંતાબેન મકવાણા અને દક્ષાબેન ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News