મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં


SHARE











મોરબીના નીચી માંડલ ગામ નજીક ગેસ લીકેજના લીધે દાઝી જતા પતિ-પત્ની અને પુત્ર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેના લીધે પતિ-પત્ની અને તેમનો ત્રણ વર્ષનો દીકરો દાજી ગયો હોય સારવારમાં ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ નજીકના ફેનિસ્ટો સિરામિકમાં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઈ જગાભાઈ પારઘી (૨૮) તેમના પત્ની લક્ષ્મીબેન વિજયભાઈ (૨૩) અને પુત્ર ધાર્મિક વિજયભાઈ પારઘી (ઉમર ૩) દાઝી જતા ત્રણેયને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને ખુલ્યુ હતું કે ક્વાર્ટરમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ત્રણેય દાઝી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

ભાઈએ કરેલ પ્રેમ લગ્નના મુદ્દે બહેનને માર મારનાર બે મહીલાઓની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે યુવતીને બે મહિલાઓએ માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં ભોગ બનેલ મનીષાબેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે તેમના ભાઈ કિશોરએ પ્રેમ લગ્ન કર્યા હોય અને તે વાતનો રોષ રાખીને તેઓ જ્યારે શેરીમાંથી નીકળ્યા ત્યારે કાંતાબેન દિનેશભાઈ માધાભાઈ મકવાણા (૪૫) રહે. પંચાસર તાલુકો જીલ્લો મોરબી અને દક્ષાબેન કરણભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ (૨૩) રહે. દુધઈ જોડીયા જામનગરએ તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવેલ હોય તપાસ કરી રહેલા અજીતસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવમાં મનીષાબેન ઉપર હુમલો કરનાર કાંતાબેન મકવાણા અને દક્ષાબેન ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News