મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત


SHARE











“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરિણીત યુવાને સજોડે ઝેરી દવા પીધી હતી દરમિયાન મહિલાનું મોત નિપજયું છે અને યુવાન સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરણિત યુવાને ઝેરી દવા પી લીધી હોવા અંગેની ૧૦૮ની ટીમને જાણ કરી હતી જેથી કરીને એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારે ત્યાં મહિલા અને યુવાને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામના રહેવાથી ભાવુબેન રાકેશભાઈ કોળી (ઉંમર ૨૭)ને તે જ ગામમાં રહેતા મહેશ હીરાભાઈ કોળી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તે બન્નેએ એક સાથે જાલીડા ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ભાવુબેનનું મૃત્યુ નિપજયું છે જેનો લગ્નગાળો આઠ વરસનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું હાલમાં આ બનાવની તપાસ કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણવા મળે છે અને મહેશ હીરાભાઈ કોળી અપરણિત છે જે યુવાન હાલમાં સારવાર હેઠળ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News