વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને ધંધા માટે ૧૭.૫૦ લાખ વ્યાજે લઈને ૩૨.૪૦ લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE











વાંકાનેરમાં યુવાને ધંધા માટે ૧૭.૫૦ લાખ વ્યાજે લઈને ૩૨.૪૦ લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !

વાંકાનેર ના હસનપર ખાતે રહેતા યુવાને ધંધા માટે થઈને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે ૧૭.૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ૩૨.૪૦ લાખ ચૂકવી દીધા છે તેમ છતાં પણ હજુ પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ કઢાવવા માટે થઈને પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને યુવાને કોરા ચેક આપેલ છે તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના હસનપર ખાતે રહેતા ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા જાતે કોળી (૩૪) એ ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ધંધા માટે થઈને ઉંચા વ્યાજે જુદાજુદા સમયે બંને શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા જેમાં ભરતભાઈ પરસોંડા પાસેથી પાંચ લાખ રૂપિયા તથા સુરેશભાઈ ડાભી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ભરતભાઈને ૩.૬૦ લાખ અને સુરેશભાઈને ૨૮.૮૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ભરતભાઈએ તેની પાસેથી કોરા ચેક લીધા હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપી રહ્યા છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪૫૦૬ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫૪૦૪૨(એ)૪૨(ડી) મુજબ વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News