વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં


SHARE











મોરબીના ઝૂલતા પુલના  કેસમાં મૃતક પરિવારને એક કરોડનું વળતર અપાવવા માજી સાંસદ મેદાનમાં

મોરબીની ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મૃતકોના પરિવારજનોને એક કરોડનું વળતર આપવામાં આવે અને ઈજા પામનારાઓને પાંચ લાખ સુધીનું વળતર આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજકોટના માજી સાંસદ દ્વારા ગ્રાહક અદાલતમાં તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

રાજકોટના માજી સાંસદ રામજીભાઈ માવાણીએ રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વધુ વળતર મળે તેના માટેની કાર્યવાહી  શરૂ કરી છે કેમ કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા અને સંચાલકોની ખામીના લીધે આ ઘટના બની છે અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધીઓએ આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, પુલ ભંગાર અને ટુટીફુટી હાલતમા હતો, પુલની કરોડરજ્જુ નબળી હતી, જોઈન્ટના બોલ્ટ જૂના અને કાંટ ખાધેલ હતા, રિપેરીંગના નામે પુલ ઉપર માત્ર કલર લગાવવામાં આવેલ હતો આટલું જ નહીં પુલ ઉપર એક સાથે ૧૦૦ વ્યક્તિઓને ઉભા રહેવાની કેપેસીટી હતી તો પણ વધુ લોકોને મોકલવામાં આવ્યા હતા વધુમાં એવી પણ માહિતી સામે આવી છે કે, જે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો તે અનુભવી સ્ટાફ હતો જ નહીં માત્ર અને માત્ર ઉચ્ચા દ૨ની ટિકીટ વેંચી ઓરેવા કંપનીએ વધુને વધુ નફો કરવા મુલાકાતીઓને ધોળા દિવસે મોતના મુખમાં ધકેલી દિધેલ છે. આ બધાજ આધાર-પુરાવા અને સંજોગો ગ્રાહક અદાલતમા મૃતકોના વારસો તેમજ ઈજા પામનારાઓને ઉચ્ચો વળતર અપાવવા ૧૦૦૦ ટકા પુરતા છે તેવું માજી સાંસદ રામજીભાઈ માવાણીએ જણાવ્યુ છે






Latest News