મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો મજૂર યુવાન કોઈ કારણોસર વાડીમાં આવેલ પાણીના કૂવામાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું એમઆઇટી નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલિસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને મૃતકના ભાઈ તથા પિતાને આ બનાવ બાબતે શંકા દર્શાવેલ હોવાથી હાલમાં મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે હરજીવનભાઈ કરમશીભાઈ બરાસરા જાતે પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ત્રંબોડિયા ગામના રહેવાસી પ્રવીણભાઈ કલસિંગભાઈ અજનાર (૨૮) વાડીએ આવેલ કુવાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ તથા પિતાએ શંકા દર્શાવેલ હોવાથી મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે ગોવિંદભાઈ પીતાંબરભાઈ પરમાર (૪૦) નામના યુવાનને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે તેની પાસેથી મળેલ માહિતી મુજબ ઘરે મારામારી થયેલ હતી તેમાં યુવાનને ઇજા થયેલ છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે રહેતા અરવિંદભાઈ ભીખાભાઈ ચૌહાણ (૪૦)ને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેમોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુનીતાબેન લક્ષ્મણભાઈ થરેશા ઉંમર વર્ષ 40 વર્ષાબેન ગણેશભાઈ 44 માધવ લક્ષ્મણભાઈ ત્રરેસા 21 અને ગણેશ જેરામભાઈ થ્રેસર 50 ને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News